ભયાનક વાવાઝોડામાં સોમનાથ મંદિરમાં સત્યનો પરચો દેખાણો

0
209

તાઉતે વાવાઝોડાની રાજ્યવ્યાપી ગંભીર અસર અતિભારે પવનમાં સોમનાથ મંદિરની ધજા – ત્રિશૂલ અડિખમ વાવાઝોડા વચ્ચે પણ મંદિરની મિલકતને ન નુકસાન થયું સોમનાથ , તા . ૧૮ તાઉતે વાવાઝોડાની સમગ્ર ગુજરાતમાં અસર જોવા મળી રહી છે . અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ ખાબકી રહ્યો છે . તો કેટલીક જગ્યાઓ પર વૃક્ષ ધરાશાયી થયા છે તો કયાંક વીઝ થાંભલા પરાશાયી થયા છે . અનેક શ્યામો પર રૌડ બ્લોક થઈ ગયા છે . પરંતુ કહેવાય છે ને કુદરત આગળ કોઈનું ચાલતું નથી . એવું જ કંઇક સોમનાથ મંદિરે થયું છે . વાવાઝો હું તાઉતની સોમનાથ અને વેરાવળમાં નહીવત અસર જોવા મળી રહી છે . સોમનાથ મંદિરના ટ્રસ્ટના મેં ને જર વિજયસિંહ ચાવડા એ જણાવ્યું હતું કે , સોમનાથ દાદાની અમી નજર ફી એકવાર જોવા મળી છે , તેમજ દેશ વિદેશના કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા ફરી એકવાર સાબિત થઈ છે .

જેના કારણે જ અતિ ભારે પવન વચ્ચે પણ સોમનાથ મંદિર ની ધજા – ત્રિશુલ અડીખમ જોવા મળી રહ્યું છે , અતિ ભારે વાવાઝોડા વચ્ચે પણ સૌમનાથ મંદિરની એકેય મિલકતને નુકસાન થયું નથી . ઉલ્લેખનીય છે કે , ભારતીય હવામાન ખાતા દ્વારા ધ સિવિયર સાયક્લોન મ તાઉતે સંદર્ભે દર કલાકે બુલેટિન બહાર પાડવામાં આવી રહ્યું છે , તે મુજબ આ સ્ટ્રીમ આજે રાજયના સૌરાષ્ટ્ર વિસ્તાર ઉપર કેન્દ્રિત થયેલું છે , જે અમદાવાદથી દક્ષિણપશ્ચિમે ૨૧૦ કિ.મી. , દક્ષિણ – દક્ષિણ પશ્ચિમ દિશામાં સુરેન્દ્રનગરથી ૧૩૦ કિલોમીટર જયારે અમરેલીથી પૂર્વે ૧૦ કિલોમીટરના અંતરે સ્થિત છે . તાઉતે વાવાઝોડું ઉત્તર – ઉત્તરપૂર્વ દિશામાં છેલ્લા છ કલાકથી ૧૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે . આ વાવાઝોડાની તેના કેન્દ્ર પાસે પવનની ગતિ ૧૦૫ થી ૧૧૫ કિ.મી. ક્લાક રહેશે , આ ઝડપ ૧૨પ કિ.મી. / કલાક સુધી વધી શકે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here