માનવ ગરિમા યોજના અંતર્ગત ધંધાના સાધનો ખરીદવા સહાય મેળવવા અહી ક્લિક કરો

43
1235

માનવ ગરિમા યોજના અંતર્ગત ધંધાના સાધનો માટે સહાય મેળવવા માટે  ફોર્મ અરજી કરો ૧૨/૦૭ /૨૦૨૧ થી ૩૧/૦૭/૨૦૨૧ સુધી. કુલ –૨૮ પ્રકારના વ્યવસાય માટે સાધન-ટૂલ કિટ્સ આપવામાં આવે છે.(યાદી નીચે મુજબ છે.)

કોને સહાય મળવાપાત્ર થાય

  • અનુસુચિત જાતિના લોકો
  • અનુસુચિત જાતિના લોકો અતિ પછાત જાતિના લોકો માટે કોઈ આવક મર્યાદા નથી.
  • સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકોને
  • આર્થિક રીતે પછાત વર્ગના
  • વિચરતી અને વિમુક્ત જાતિના લોકો
  • લઘુમતી જાતિના લોકોને

અનુસૂચિત જાતિના લોકોને બેંક લોન લીધા વિના સ્વરોજગારી મેળવવા નાનો ધંધો શરૂ કરવા ઈચ્છતા હોય તેઓને સાધન /ટુલ કીટસ સ્વરૂપે સહાય આપવામાં આવે છે. અનુસુચિત જનજાતિના ઈસમો સ્વરોજગારી મેળવી શકે. યોજના અનવયે તેઓને ટુલ કીટ/ઓજારો આપવામાં આવે

આ યોજના  દરમિયાન મળવા પાત્ર સહાય : અનુ.જનજાતિના ઇસમ કુટુંબની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં રૂ.૪૭,૦૦૦/-અને શહેરી વિસ્તારમાં રૂ. ૬૮,૦૦૦/-…જિલ્લાના મદદનીશ કમિશનરશ્રી/આદિજાતિ વિકાસની કચેરીમાં નિયત નમૂનામાં દસ્તાવેજી પુરાવાના સહિતની અરજી રજુ કરવાની હોય છે દસ્તાવેજના આધારે નિયમ અનુસાર મળવાપાત્ર લાભાર્થીઓને ટુલકીટસ આપવામાં આવે છે.

  •  કડીયાકામ
  •  સેન્‍ટીંગ કામ
  • વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
  • મોચીકામ
  • દરજીકામ
  • ભરતકામ
  • કુંભારીકામ
  • વિવિધ પ્રકારની ફેરી
  • પ્લમ્બર
  • બ્યુટી પાર્લર
  • ઇલેક્ટ્રીક એપ્લાયન્‍સીસ રીપેરીંગ
  • ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
  • સુથારીકામ
  • ધોબીકામ
  • સાવરણી સુપડા બનાવનાર
  • દુધ-દહી વેચનાર
  • માછલી વેચનાર
  • પાપડ બનાવટ
  • અથાણા બનાવટ
  • ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ
  • પંચર કીટ
  • ફ્લોર મીલ
  • મસાલા મીલ
  • રૂ ની દિવેટ બનાવવી (સખીમંડળની બહેનો)
  • મોબાઇલ રીપેરીંગ
  • પેપર કપ અને ડીશ બનાવટ (સખીમંડળ)
  • હેર કટીંગ (વાળંદ કામ)
  • રસોઇકામ માટે પ્રેશર કુકર (ઉજ્જવલા ગેસ કનેક્શનના લાભાર્થી)

માનવ ગરિમા યોજના અંતર્ગત ધંધાના સાધનો માટે સહાય ફોર્મ અરજી કરતી વખતે રજુ કરવાના થતા  ડોક્યુમેન્‍ટ  આ પ્રમાણે છે જેની નોંધ લેવી આધાર કાર્ડ, રેશન કાર્ડ,  રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/લાઇસન્સ/ભાડાકરાર/ચુંટણી કાર્ડ પૈકી કોઈ એક,  અરજદારની જાતિ નો દાખલો,  વાર્ષિક આવક નો દાખલો,  અભ્યાસનો પુરાવો આ બધા પુરાવા સાથે જોડવાના થશે  ફોર્મ ભરવા રૂબરૂ સંપર્ક કરો :- હેનીલ જનસેવા કેન્દ્ર Mo:- 8128411456 ખાસ ઉપયોગી માહિતી ફરજીયાત બીજા ગ્રુપમાં શેર કરશો..તમારા એક શેર થી કેટલાય ગરીબ લોકોને કામ લાગશે અને તમને આશીર્વાદ ફળશે

ગુજરાત સરકારના Social Justice & Empowerment Department દ્વારા વિવિધ માનવ કલ્યાણ યોજના તથા અન્ય વિવિધ કલ્યાણકારી યોજનાઓના Online Form ભરવા માટે સરકારની અધિકૃત વેબસાઈટ જાહેર કરેલ છે. https://esamajkalyan.gujarat.gov.in/ આ વેબસાઈટ દ્વારા manav garima yojana online form ભરી શકાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here