જગત જનની જગદંબા મા દુર્ગાના શસ્ત્રોમાં છૂપાયા છે અનેક સંદેશ જાણવા જરૂરી છે

0
199

નવરાત્રિમાં માતાનું નામ યાદ કરતા જ નજર સમક્ષ મા દુર્ગાનું ભવ્ય સ્વરૂપ સામે આવે છે .. તેમના હાથમાં અનેક શસ્ત્ર લઈને મા દુર્ગા વાઘની સવારી કરતી જોવા મળે છે . આ સાથે જ એવી માન્યતા છે માતાને લાલ રંગ ખૂબ પસંદ છે . આવો જાણીએ માતાના દરેક શસ્ત્ર પાછળ શુ સંદેશ છિપાયેલો છે . તલવાર મા દુર્ગાના હાથમાં સુશોભિત તલવારની તેજ ઘાર અને ચમક . જ્ઞાનનું પ્રતિક છે . આ જ્ઞાન બધી શંકાઓથી મુક્ત છે . તેની ચમક બતાવે છે કે જ્ઞાનના માર્ગ પર કોઈ શંકા હોતી નથી . ચકા મા દુર્ગાની છેલ્લી આંગળી પર ચક્ર એ વાતનું પ્રતિક છે કે આખી દુનિયા તેમના અધીન છે . ચક સમસ્ત દુર્ગુણોને નષ્ટ કરીને ધર્મનો વિકાસ કરશે અને પાપોનો નાશ કરવામાં સહાયક રહેશે . કમળનું ફૂલ કમળ કીચડમાં રહીને તેનાથી અછૂતું રહે છે . એ જ રીતે મનુષ્યએ પણ સાંસારિક કીચડ એટલે કે વાસના લોભ અને લાલચથી દૂર રહેવું જોઈએ . વિપરિત પરિસ્થિતિયોમાં શૈર્ય સાથે કર્મ કરવાથી સફળતા જરૂર મળે છે .

ઓમ : દુર્ગાજીના હાથમાં દર્શાવેલ કૅ પરમાત્માનો બોધ કરાવે છે . ઉંમાં જ બધી શક્તિઓ રહેલી માનવામાં આવે છે . સંપૂર્ણ બ્રહ્માંડનું પ્રતિક છે . તેનાથી મનને એકાગ્ર કરવામાં પણ મદદ મળે છે .

લાલ રંગ : દેવીને સમર્પિત વસ્તુઓમાં લાલ રંગને અગ્નિ તત્વ ગ્રહ સૂર્ય અને મંગળ ગ્રહની કૃપા કાયમ રાખવા માટે મુકવામાં આવે છે . શંખ 8 શંખ વનિ અને પવિત્રતાનુ પ્રતિક છે . જે શાંતિ અને સમૃદ્ધિનુ સૂચક છે . મા પાસે આવનારા બધા ભક્ત પૂર્ણત પવિત્ર થઈ જાય છે . ધનુષબાણ ? દુર્ગાજી દ્વારા ઘારિત તીર ઘનય ઉર્જાનું પ્રતિનિધિત્વ કરે છે . આ જ રીતે મા દુર્ગાના હાથમાં ઘારણ વજ દ્રઢતાનું પ્રતિક છે . જે મનુષ્યની શક્તિ અને ક્ષમતા બતાવે છે .

ત્રિશૂલ ત્રિશૂલના ત્રણ ધારદાર ભાગ માણસની ઉર્જા દ્રઢતા અને શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે અને આ ગુણો પર આપણો પૂર્ણ નિયંત્રણ હોવાનો પણ સંદેશ આપે છે . સિંહની સવારી : સિંહને ઉગ્રતા અને હિંસક પ્રવૃત્તિઓનું પ્રતિક માનવામાં આવે છે . મા દુર્ગાના સિંહ પર સવાર હોવાનો મતલબ છે કે જે ઉગ્રતા અને હિંસક પ્રવૃત્તિઓ પર નિયંત્રણ મેળવી શકે છે તે શક્તિ છે . મા દુર્ગા આ સંદેશ આપે છે કે જીવનમાં દુર્ગુણો પર નિયંત્રણ કરી આપણે પણ શક્તિ સંપન્ન બની શકીએ છીએ .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here