કિડની અને લિવરનું દાન કરી ત્રણ વ્યક્તિઓને નવજીવન આપ્યું, બ્રેઈનડેડ કાંતિભાઈના આત્માને શાંતિ મળે

0
206

આજના સમયમાં અંગદાન એજ મ્હાડાન માનવામાં આવે છે ત્યારે આજના સમયમાં આ કામ કરનાર  ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન. હિન્દુ કુંભાર સમાજના બ્રેઈનડેડ કાંતિભાઈ મોહનભાઈ ધંધુકિયા(પ્રજાપતી) ના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમ થી તેમના કિડની અને લિવરનું દાન કરી ત્રણ વ્યક્તિઓને નવજીવન આપ્યું છે , માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી લોકોને જાગૃત થાય એવો પ્રયત્ન છે.

અમદાવાદની સ્ટર્લીંગ હોસ્પિટલના dr. hitesh chavda અને તેમની team આવી લિવરનું દાન સ્વીકાર્યું હતું . જયારે કિડનીઓનું દાન અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) ના  dr. suresh kumar  અને તેમની ટીમે આવી સ્વીકાર્યું. દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની સ્ટર્લીંગ હોસ્પિટલમાં ડૉ.હિતેશ ચાવડાઅને તેમની ટીમ દ્વારા એક જરૂરિયાતમંદ દર્દીમાં કરવામાં આવી રહ્યું છે. જયારે એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની ઝાયડસ હોસ્પીટલ અને બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) માં બે જરૂરિયાતમંદ દર્દીઓમાં કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે કોવીડ ૧૯ ની મહામારીની બીજી લહેર પછી આખા દેશમાં અંગદાનનું પ્રમાણ ખુબજ ઓછું છે. ત્યારે સુરત અને અંકલેશ્વર માંથી ડોનેટ લાઈફ દ્વારા છેલ્લા ઓગણીસ દિવસમાં ચાર બ્રેઈનડેડ વ્યક્તિઓના પરિવારજનો સાથે સમજણ કેળવી ૨ હૃદય, ૨ ફેફસાં, ૮ કિડની, ૪ લિવર અને ૬ ચક્ષુઓ સહીત કુલ ૨૨ અંગો અને ટીસ્યુઓના દાન મેળવી દેશના વિવિધ રાજ્યોના કુલ ૨૧ ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવુંજીવન આપવામાં સફળતા મળી છે. અંગદાન કરાવવાની સમગ્ર પ્રક્રિયામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલના ટ્રસ્ટી કમલેશભાઈ ઉદાણી, ન્યૂરોસર્જન ડૉ.જયપાલસિંહ ગોહિલ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ.કલ્પેશ કલસરિયા, ઓપ્થેલમોલોજીસ્ટ ડૉ. અંજના ચૌહાણ, મેડીકલ ઓફીસર ડૉ. સમીરા શેખ, શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલના સંચાલકો અને સ્ટાફ, ભરૂચ અને અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડા અને વિનય વસાવા અને ભરૂચ સિવિલ હોસ્પીટલના મેડીકલ ઓફિસર ડૉ. ઇન્દીરાબેન કોન્ટ્રાકટર સહકાર સાંપડ્યો હતો.

સુરત અને દક્ષિણ ગુજરાત માંથી ડોનેટ લાઈફ દ્વારા ૩૯૦ કિડની, ૧૬૧ લિવર, ૮ પેન્ક્રીઆસ, ૩૩ હૃદય, ૧૪ ફેફસાં અને ૨૯૨ ચક્ષુઓ કુલ ૮૯૬ અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને ૮૨૪ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે

ડોનેટ લાઈફ તેમજ સમગ્ર સમાજ સ્વ. કાંતિભાઈ મોહનભાઈ ધંધુકિયા(પ્રજાપતી) પરિવારને તેમના આ પવિત્ર કાર્ય થકી સમાજને ઉમદા ઉદાહરણ પૂરું પાડવા માટે નતમસ્તક વંદન કરે છે.

અંગદાન…જીવનદાન… ડોનેટ લાઈફની વધુ માહિતી મેળવવા માટે નીચેની લીંક ઉપર ક્લિક કરો: https://www.donatelife.org.in/

ડોનેટ લાઇફ એ લોકોની એક નફાકારક સંસ્થા છે જે વિશ્વને રહેવા માટે એક વધુ સારું સ્થાન બનાવવા માટે તૈયાર છે. આપણી 4 ડિસેમ્બર, 2014 ના રોજ સ્થાપના થઈ હતી. શ્રી નીલેશ માંડલેવાલાના નેતૃત્વ હેઠળ, જેમણે પોતાનું જીવન 2005 થી આ હેતુ માટે સમર્પિત કર્યું છે અને અન્ય સ્થાપક ટ્રસ્ટીઓના સમર્થનથી, આ ઉમદા પહેલ માટે શ્રેષ્ઠ ક્ષમતાઓમાં ફાળો આપવાનો અમારો સતત પ્રયાસ રહ્યો છે. ભારતમાં 20 લાખથી વધુ દર્દીઓ કિડની ટ્રાન્સપ્લાન્ટની રાહ જોઈ રહ્યા છે – દર વર્ષે 2 લાખ આ સંખ્યામાં ઉમેરવામાં આવે છે. હૃદય, યકૃત, આંખો જેવા અન્ય ઘણા અવયવો માટેની સંખ્યા સમાન આઘાતજનક છે. આ ચિંતાજનક પરિસ્થિતિએ આપણે બની શકે તેટલા જીવન બચાવવાના આપણા સંકલ્પને મજબૂત બનાવ્યો છે.

આજની તારીખમાં, અમે ડોનેટ લાઇફમાં 390 કિડની, 161 યકૃત, 33 હૃદય, 14 ફેફસાં, 8 સ્વાદુપિંડ, 292 આંખો અને 4 હાડકાં ખરીદ્યાં છે. અમે ભારત અને વિશ્વના 824 લોકોને જીવનની નવી લીઝ આપી છે. ડોનેટ લાઇફ એ પશ્ચિમ ભારતમાં પ્રથમ સફળ કadaડેવર હાર્ટ ટ્રાન્સફર અને ટ્રાન્સપ્લાન્ટ માટે અગ્રેસર છે. ડોનેટ લાઇફ સુરત, ગુજરાતથી ચેન્નાઈ, તમિલનાડુ અને મધ્યપ્રદેશના ઇન્દોર સુધીના પ્રથમ આંતર રાજ્ય હાર્ટ ટ્રાન્સપ્લાન્ટમાં પણ અગ્રેસર છે. ડોનેટ લાઇફ એ ગુજરાતમાંથી સફળતાપૂર્વક પ્રથમ વખત અસ્થિ દાન કરવા માટે પણ જવાબદાર છે. અમદાવાદ, ગુજરાતના ઇન્સ્ટિટ્યૂટ Kidફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટરમાં ada 45% કેડિવિક કિડની અને લીવર ટ્રાન્સપ્લાન્ટ્સ, મુંબઈની ફોર્ટિસ હોસ્પિટલમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ્સમાંથી 20% અમારી સંસ્થાના પ્રયત્નોને લીધે થયા છે. તેમજ અમદાવાદની સીઆઈએમએસ હોસ્પિટલમાં જે 5 હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયા છે તેમાંથી 3 ડોનેટ લાઇફ દ્વારા સુરતથી દાનમાં લેવામાં આવ્યા છે. અમે કેડવર ઓર્ગન ડોનેશનના મહત્વ માટે જાગૃતિ ફેલાવવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે બે હેતુઓ માટે સ્થાપના કરી હતી: – ભારતમાં કેડવર અંગ દાનની સંખ્યામાં વધારો કરીને અને  સમગ્ર પ્રક્રિયાને સરળ બનાવીને, જાગૃતિ ફેલાવવા અને કેડેવર ડોનેશન શક્ય બનાવવું. – ભારતમાં થતા કિડની અને યકૃત નિષ્ફળતાના કેસોની ભયંકર સંખ્યાને રોકવા અને તેમને જીવનની નવી લીઝ પૂરી પાડવા માટે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here