ધોરણ ૧ થી ૮માં અભ્યાસ કરતા આકસ્મિક અવસાન પામનાર વિદ્યાર્થીને 50000 મળવાપાત્ર..

0
309

*વિદ્યાદીપ વીમા યોજના*

*લાભ કોને મળે?* ધોરણ ૧ થી ૮માં અભ્યાસ કરતા આકસ્મિક અવસાન પામનાર કોઈપણ વિદ્યાર્થીને લાભ મળવાપાત્ર…..૮૫ લાખ વિદ્યાર્થીઓને ૨૪ કલાકનું વીમાકવચ આ યોજના અંતર્ગત આપવામાં આવે છે.અકસ્‍માતે મૃતયુ પામતા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીના વાલીને રૂ. ૨૫,૦૦૦ ની વીમાની રકમ ચૂકવવામાં આવે છે.  …વિદ્યાદીપ વીમા યોજનાના પ્રીમિયમની રકમ રાજ્ય સરકાર દ્વારા ભરવામાં આવે છે. આ યાજનાનો લાભ નિયત થયેલ વારસદારને મળે છે. વારસદાર દ્વારા સરકારશ્રી દ્વારા નકકી કરેલ નમુના (પરિશિષ્ટ-૧) મુજબ જરૂરી આધારો સાથે મૃત્યુથી ૪પ દિવસનાં સમય ગાળામાં લગત અધિકારીશ્રીને સીધી અરજી કરવાની હોય છે. પ્રાથમિક શિક્ષણ – જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી -નગર પ્રાથમિક શિક્ષણઃ-શાસનાધિકારીશ્રી, માઘ્યમિક/ઉચ્ચતર શિક્ષણ – જિલ્લાશિક્ષણાધિકારીશ્રી -આશ્રમ શાળાઃ- આશ્રમ શાળાનાઅધિકારીશ્રી

*કેટલો લાભ મળે?* વાહન અકસ્માત, સાંપ-વીંછી કરડવાથી, વીજ શોક લાગવાથી કે ડૂબી જવાથી થતા મૃત્યુના કિસ્સામાં રૂ.૫૦,૦૦૦/- ની સહાય ચુકવવામાં આવે છે…….

*જરૂરી પ્રાથમિક શિક્ષણ અભ્યાસ કરતાં વિદ્યાર્થીનું આપઘાત કે કુદરતી મુત્યુ સિવાય બીજી કોઈ પણ રીતે એટલે કે કુદરતી આફત જેવી કે ભુકંપ, પુર,વાવાઝોડું,આગ,રમખાણ,આકસ્મિક આગ,વીછીં અને સર્પ દંશ,વાહન અકસ્માત,પડી જવું,ડુબી જવું,ફુડ પોઈઝનીંગ,કુતરુ કે જંગલી પ્રાણી કરડવું,કે અન્ય કોઈ રીતે અકસ્માત દ્વારા ગમે તે સમયે ગમે ત્યારે(ર૪ કલાક દરમ્યાન) વિદાર્થીનું મૃત્યુ થાય તેવા કિસ્સામાં વીમાનું રક્ષણ આપવાનું નકકી થયેલ છે.
પ્રાથમિક શાળા/આશ્રમ શાળાઓના વિદ્યાર્થીના કિસ્સામાં રૂ.રપ,૦૦૦/- (રૂ. પચ્ચીસ હજાર પુરા)
માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમીક શાળાઓના વિદ્યાર્થીનાં કિસ્સામાં રૂ.પ૦,૦૦૦/-(રૂ.પચાસ હજાર પુરા) દાવો રજુ કરવા બાબત
નેશનલ ઈન્શયોરન્સ કંપની લી. ગાંધીનગરનાં જણાવ્યા મુજબ
(૧) એફ આઈ આર ની નકલ
(ર) પોસ્ટમોર્ટમ રિપોર્ટ
(૩)આચાર્યશ્રીનું પ્રમાણપત્ર
(૪)સરપંચશ્રી તથા અન્ય અગ્રણય વ્યકિતઓનું આ બનાવ અંગેનું પંચનામું
(પ)ગ્રામ્ય વિસ્તાર માટે ગામનાં તલાટી કમ મ્રત્રીશ્રીનું મરણ અંગેનું પ્રમાણપત્ર તેમજ શહેરી વિસ્તાર માટે મરણ અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
(૬)એડવાન્સ રીસીપ્ટ વારસદારની સહી સાથે સરકારશ્રીએ નકકી કરેલ નમુનામાં (પરિશીષ્ટ-૧)મુજબ વારસદારને મૃત્યુની તારીખથી ૪પ દિવસની સમય મર્યાદામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી,શાસનાધિકારીશ્રી,જિલ્લા શિક્ષણાધિકારીશ્રી,કે આશ્રમશાળા અધિકારીશ્રીને વિમાની દાવાની અરજી જરૂરી પ્રમાણપત્ર સાથે સીધી મોકલી આપવાની રહે છે.
વારસદારઃ- આ યોજના હેતુ માટે લાભાર્થીનાં વારસદાર તરીકે નીચે જણાવેલ વ્યકિત રહેશે.
મા-બાપ તેમની ગેર હયાતીમાં , ભાઈ,અપરણિત બહેન તેમની ગેર હયાતીમાં , તેમનાં કાયદેસરના વારસદાર*
*•* પોસ્ટમોર્ટમ રીપોર્ટ
*•* એફ.આઈ.આર (FIR રીપોર્ટ) નકલ
*•* પંચનામું
*•* મરણનું પ્રમાણપત્ર
*•* પેઢીનામું
*•* ઇમ્ડેન્ડીટી બોન્ડ નમુનો રૂ.૧૦૦/- ના સ્ટેમ્પ પેપર ઉપર

*લાભ ક્યાંથી મળેલ?*
સબંધિત સ્કૂલમાંથી

*શ્રી સી.આર.પાટીલ ઓફીસ*
*ડિજિટલ હેલ્પલાઇન*
*વોટ્સએપ નંબર- 02612300000*
આભાર…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here