ફ્રીજમાં ક્યારે ન મુકશો બાંધેલો લોટ થઇ શકે છે હાની દરેક મહિલાને જરૂર શેર કરજો

174
10492

ફ્રીજમાં ક્યારે ન મુકશો બાંધેલો લોટ થઇ શકે છે હાની દરેક મહિલાને જરૂર શેર કરજો.  ઘણી ગૃહિણીઓ સવારમાં પોતાનો સમય બચાવવા માટે રાત્રે જ લોટ ગૂંથીને ફ્રીઝમાં મૂકી દે છે. શું આ ગૃહિણીઓમાં તમારો પણ સમાવેશસામાન્ય રીતે ઘરમાં કોઈ પણ લોટ બાંધેલો હોય તો તે પિંડ સમાન છે. તે તમારા ઘરમાં ભૂત પ્રેતને આમંત્રે છે. અને જો તમને આવી રોજની ટેવ હોય તો તમારું ઘર જ ભૂત પ્રેતનો અડ્ડો થઈ જાય છે. પિતૃઓ તેમનો અધિકાર સમજે છે. તેનાથી તે તૃપ્ત થવા પ્રયત્ન કરે છે.

પિંડ એ સામાન્ય રીતે મૃતાત્મા માટે હોય છે. વ્યક્તિના મૃત્યુ પછી અંતિમયાત્રા સમયે તેની સાથે પિંડ બાંધવામાં આવે છે. એટલું જ નહિં જ્યારે શ્રાદ્ધકર્મ કરવામાં આવે છે ત્યારે પણ પિંડદાન કરવામાં આવે છે. ઘરમાં પડેલો બાંધેલો લોટ પિંડ સમાન હોય છે. તેને લીધે ઘરમાં અનેક મુશ્કેલીઓને આમંત્રણ મળી જાય છે.

આ ઉપરાંત રોજ આવો લોટ બાંધેલો મૂકી રાખવાની આદત સારી નથી, કારણકે વાસી ખોરાક ખાવો એ સ્વાસ્થ્ય માટે પણ હાનિપ્રદ છે. લાંબા ગાળે તે મોટાં રોગને નોંતરે છે. ઘરમાં બીમારી ઘર કરી જાય છે. તેથી ઘર મુશ્કેલીઓથી ઘેરાયેલું રહે છે. એટલુંજ નહિં તેને પૈસે ટકે પણ ખુવાર થતું જાય છે. તમારી આદતને તાત્કાલિક બદલો.

મોટાભાગના ઘરોમાં અત્યારે ફ્રિજની સગવડતા હોય છે એટ્લે ગૃહિણીઓને એક સગવડતા ઊભી તાહિ છે. કે ફ્રીજમાં વાતાવરણ એકદમ ઠંડુ હોવાથી રાંધેલ ખોરાક કે શાકભાજીનો બગાડ ઓછો થાય છે. દૂધ, દહી, શાકભાજી, ફ્રૂટ આ બધુ મોટેભાગે ફ્રીજમાં જ સ્ટોર કરવામાં આવે છે. જે સારું છે કે બગાડ તો ઓછો થાય છે.

આમ જોઈએ તો નોકરિયાત મહિલાઓ માટે કે હાઉસવાઈફ મહિલાઓ માટે આ ફ્રિજનું ઉપકરણ કખૂબ ઉપયોગી સાબિત થયું છે. એટ્લે મોટાભાગની મહિલાઓ રોટલી કરવા માટે બાંધેલો લોટ પણ ફ્રીજમાં મૂકી દેતી હોય છે. પરંતુ જોવા જઈએ તો લોટને ફ્રીજમાં મૂકી પછી તેનો લાંબા સમયે વપરાશ વૈજ્ઞાનિક રીતે પણ યોગ્ય નથી અને ધાર્મિક રીતે પણ નહી.

તો ચાલો આજે જાણીએ કે ફ્રીજમાં મૂકેલ લોટની રોટલી ખાવી જોઈએ કે નહી.

એનું તમે વિચાર્યું ક્યારેય ? જી હા, સાચે જ આવી રીતે જો તમે રોજ લોટનો ઉપયોગ કરશો તો તમારા બધા જ પૈસા ડોક્ટર ને જ આપવાનો વારો આવશે એક દિવસ.

ફ્રીજમાં લોટ મૂકી રાખવાથી લોટમાં સમય જતાં રસાયણીક પ્રક્રિયા ઉદભવે છે. જેમાં ધીરે ધીરે લોટમાં બેક્ટેરિયા એકત્રિત થવા લાગે છે. બેક્ટેરિયા અતિ સૂક્ષ્મ હોવાથી નથી જોઈ શકાતા કે નથી ખ્યાલ આવતો. પરંતુ એ જ બેક્ટેરિયા જો વ્યક્તિના પેટમાં જાય તો ઘણા બધા રોગ થવાની શક્યતા રહેલી છે. ફ્રીજમાં મૂકેલ એ બેક્ટેરિયા વાળા લોટની તમે રોટલી બનાવશો…એટ્લે સૌ પ્રથમ તો રોટલીમાં મીઠાશ નહી રહે. બીજું કે એ રોટલી જો રોજ ખાવામાં આવે તો સૌથી પહેલી અસર પાચનતંત્ર પર પડે છે, જેના કારણે પચનશક્તિ નબળી પડે છે ને ત્યારે જ થાય છે શરીર નબળું બનવાની શરૂઆત.

.ધાર્મિક કારણ મુજબ, બાંધી ને રાખેલ લોટ પિંડમાં સમાવેશ પામે છે. ને કહેવાય છે કે પિંડમાં આત્માનો વાસ હોય છે. અને રોજ રાત્રે વાતાવરણમાં ફરતા આત્મા પીંડમાં વાસ કરે છે. એટ્લે કે ફ્રીજમાં રાખેલા લોટને પીંડ સમજી આત્મા એમાં વાસ કરે છે. ને પછી એ જ લોટણી આપણે રોટલી બનાવી જમતા હોઈએ છીએ. જો સારો આત્મા હશે તો એ રોટલી ખાનારના વાણી, વર્તન અને વ્યવહાર સારા બનશે, પરંતુ જો ખરાબ આત્મા હશે તો જ્યાં સુધી એ રોટલી વ્યક્તિના શરીરમાં હશે ત્યાં સુધી તેની અસર તે વ્યક્તિમાં જોવા મળશે. આવું શાસ્ત્રી જણાવી રહ્યા છે. માટે આખી રાત ફ્રીજમાં મૂકેલ લોટણી રોટલી ક્યારેય બનાવવી જોઈએ નહી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here