જીવનમાં અતિ ઉપયોગી આરોગ્ય ટીપ્સ એકવાર જરૂર અજમાવી જુઓ અને મિત્રો સાથે શેર કરો

0
229

જીવનમાં અતિ ઉપયોગી આરોગ્ય ટીપ્સ એકવાર જરૂર અજમાવી જુઓ અને મિત્રો સાથે શેર કરો

નીરોગી અને સ્વસ્થ રહેવા માટેના અગત્યના નિયમો

[1] રોજ સવારે સૂર્યોદય પહેલાં ઊઠી જઈ બ્રશ કરી એક ગ્લાસ સહેજ ગરમ પાણી પીવું જોઈએ. ત્યાર બાદ 100 ડગલાંથી માંડી પાંચ કિલોમીટર સુધી ખુલ્લી હવામાં ચાલવું જોઈએ. સવારે અર્ધો કલાક મનગમતી કસરત કે યોગાસન કરવાં જોઈએ.

[2] ખોરાકમાં વધારે પડતા તીખા (લાલ/લીલું મરચું) ખાટા (લીંબુ / આમલી), ખારા (મીઠું-સોડા) તથા તળેલા પદાર્થોનો ઉપયોગ ટાળવો.

[3] ઉપરોક્ત તીખું-તળેલું વગેરે 15 દિવસમાં એક વાર ખાવું જોઈએ.

[4] પાણી હંમેશાં ઉકાળીને પીવું જોઈએ. ચોમાસામાં તથા શિયાળામાં સૂંઠ નાખીને તથા ઉનાળામાં ધાણા તેમજ વરિયાળી નાખીને ઉકાળી ઠંડું કરેલ પાણી પીવું જોઈએ.

[5] શક્ય હોય ત્યાં સુધી ફ્રીજની ઠંડી દરેક વસ્તુનો ત્યાગ કરવો જોઈએ.

[6] ઉનાળામાં ગરમીથી બચવા ઠંડી વસ્તુઓનો બાહ્ય ઉપચાર કરવો. જેમ કે ઠંડા પાણીથી સ્નાન, ખસ/ચંદનનો લેપ વગેરે પરંતુ ખોરાકમાં ઠંડી વસ્તુઓનો ઉપયોગ માફકસર કરવો અથવા ન કરવો.

[7] જમ્યા પછી તુરત જ ખૂબ પાણી ન પીવું, પણ એકાદ કલાક પછી પીવું. તે પણ હૂંફાળું ગરમ પીવું.

[8] આઈસક્રીમ માત્ર ઉનાળાની ઋતુમાં તે પણ દિવસના ભાગમાં ખાવો, ઉનાળામાં પણ રાત્રિના ઠંડી વસ્તુઓના સેવનનો ત્યાગ કરવો.

[9] નાનાં બાળકોને વધારે પ્રમાણમાં ખાટા તથા ગળ્યા પદાર્થો તથા ઠંડી વસ્તુઓ ન આપવી. આપવી પડે તો સામે તેટલા પ્રમાણમાં તીખા / કડવા પ્રદાર્થો પણ આપવા.

[10] બહાર જવાનું થાય ત્યારે હંમેશાં નાકમાં ગાયનું ઘી, વૅસેલિન, સરસિયું તેલ કે કોપરેલ આંગળીમાં લઈ બન્ને નસકોરામાં લગાવવું જેથી બહારની દૂષિત હવા (પ્રદૂષણ) નાક વાટે ફેફસાંમાં જતી અટકે.

[11] શિયાળાની ઋતુમાં કાન, પગ તથા માથું ઢાંકેલું જ રાખવું, કારણકે ઠંડી હવા તેના દ્વારા જ શરીરમાં જાય છે.

[12] અઠવાડિયામાં એક વાર લોટ (અનાજ) વગરનો ખોરાક ખાવો જોઈએ. જેમ કે મગ/મગની દાળ, ખીચડી, ભાત, મગના લોટનો હાંડવો-ઈડલી-થેપલા-પરોઠા, શાકભાજીનાં સૂપ, ફળો-ફળોનો રસ-છાશ વગેરે લેવું. જેથી આંતરડાનું શોધન થાય તથા પાચનક્રિયા વ્યવસ્થિત રહે.

[13] શક્ય હોય ત્યાં સુધી ખોરાકમાં ગાયનાં દૂધ-ઘીનો ઉપયોગ કરવો.

[14] બટેટામાં તીખા (કાળા મરી) તથા સંચળ અને ભીંડાની સાથે લસણનો ઉપયોગ કરવો જેથી પચવામાં સરળતા રહે તથા વાયુનો પ્રકોપ ન થાય.

[15] નાનાં બાળકોની શરદી-ખાંસીમાં તાત્કાલિક દવા ન લેવી પણ આદું + તુલસીનો રસ મધ સાથે આપવો. અજમા તથા લસણની પોટલી બનાવી તેના નાક પાસે સૂંઘવા આપવી. ઠંડી તથા ગળી-ખાટી વસ્તુ ખોરાકમાં ન આપવી.

[16] હમેશાં ઋતુ મુજબનાં ફળો ખાવાં. ઋતુ વિરુદ્ધ ફળો ન ખાવાં. જેમ કે શિયાળામાં દ્રાક્ષ/તરબૂચ, ચોમાસામાં મોસંબી/તરબૂચ/સંતરા, ઉનાળામાં પપૈયાં વગેરે. શિયાળાની શરૂઆતમાં પપૈયાં તથા ત્યાર બાદ સફરજન વગેરે લેવું જોઈએ. ઉનાળાની શરૂઆતમાં દ્રાક્ષ/સંતરાં તથા ત્યાર બાદ તરબૂચ, કેરી વગેરે લેવાં જોઈએ. બધાં જ ખાટાં ફળો ખાતી વખતે તેમાં તીખા તથા સંચળ અથવા સિંધાલૂણનો પાઉડર નાખવો જોઈએ. ફળો સાથે દૂધ કદી પણ ન લેવું.

[17] ખોરાકમાં હંમેશાં મગ-મગની દાળ, ભાત, ઘઉંની થૂલી, જવના લોટની ભાખરી, ગાયનું ઘી, ચોખ્ખું જૂનું મધ, ગાયનું દૂધ વગેરેનો નિત્ય ઉપયોગ કરવો જોઈએ.

[18] તાજા જન્મેલા બાળકને બહારનું દૂધ આપવું પડે તો માત્ર અને માત્ર બકરીનું દૂધ આપવું અને તે ન મળે તો ગાયનું દૂધ સમભાગે પાણી મેળવી, સાકર નાખી ઉકાળી આપવું. છ-માસથી દોઢ વર્ષ સુધીના બાળકને બકરીનું દૂધ આપવાથી તેનું પાચનતંત્ર તથા શ્વસનતંત્ર મજબૂત થાય છે. તેને શરદી, ખાંસી, ઝાડા, ઊલટી વગેરે રોગો થતા નથી અને થાય તો ઓછા પીડાદાયક હોય છે.

[19] શિયાળાની ઋતુમાં બાળકોને સવારે નાસ્તામાં ગાયનું ઘી 1/2 ચમચી તથા ચોખ્ખું મધ 1/4 ચમચી મિક્સ કરીને દૂધ સાથે આપવું જોઈએ.

[20] બીજાના દુર્ગુણો જોવાનું છોડી પોતાના અવગુણો સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ.

[21] બાળકોને કાજુ, બદામ, અખરોટ વગેરે આપવાં હોય તો પાંચ વર્ષથી નીચેના બાળકને ખૂબ બારીક લસોટીને દૂધમાં મિક્સ કરી આપવાં. સીધાં ચાવવા માટે ન આપવાં. કારણ કે સૂકો મેવો ઓછામાં ઓછો સો વાર ચાવીને ગળા નીચે ઉતારવો જોઈએ. તો જ તેના ગુણોનો લાભ મળે.

[22] નાના બાળકને દાંત આવતા હોય ત્યારે તુલસીનો રસ+મધ મિક્સ કરી તેના પેઢાં ઉપર દિવસમાં બેથી ત્રણ વાર લગાવવાથી કોઈ પણ જાતની તકલીફ વગર દાંત આવી જાય છે.

[23] દહીંનો ઉપયોગ માત્ર ઉનાળામાં જ કરવો જોઈએ. દહીં એકલું કદી ન ખાવું, તેમાં મધ, સિંધાલૂણ, ઘી, સાકર કે જીરું આ બધામાંથી કોઈ પણ મિક્સ કરીને ખાવું. રાત્રે દહીં કદી ન ખાવું.

[24] હમેશાં ગરમ ખોરાક ખાવો. એક વાર ઠંડી થયેલ વસ્તુ ગરમ કરીને કે વાસી ખોરાક ક્યારેય ન ખાવો.

[25] હમેશાં ચિંતાનો ત્યાગ કરવો, સદાય ઉત્સાહમાં તથા પ્રસન્ન રહેવું. જો કોઈ પણ પ્રશ્ન કે ચિંતા હોય તો તેનો ઉકેલ કરવો. ચિંતાનું ચિંતન કરવું સ્વાસ્થ્ય માટે હાનિપ્રદ છે.

[26] સામાન્યત: સાંજે 8.00 વાગ્યા પહેલાં જમી લેવું જોઈએ.

[27] ચોમાસા દરમ્યાન મેલેરિયાથી બચવા માટે ચોમાસાની શરૂઆતમાં ત્રણ અઠવાડિયાં રોજ મહાસુદર્શનચૂર્ણ 1/2 કપ ઉકળતા પાણીમાં 1/2 ચમચી રાત્રે પલાળી સવારે તેને સહેજ ગરમ કરી ગાળી નરણા પીવું જોઈએ.

[28] મૂળા સિવાય કોઈ પણ શાકભાજી કાચાં ન ખાવાં જોઈએ. હંમેશાં બાફીને સૂપ બનાવી પીવો જોઈએ.

[29] ખોરાકમાં શિયાળામાં તથા ચોમાસામાં લસણ, કુમળા મૂળા, આદું, લીલી હળદર, આંબા હળદર, ફુદીનો વગેરેનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરવો.

[30] જે દિવસે બપોરે અથવા સાંજે જમવામાં મિષ્ટાન્ન વગેરે લીધું હોય તે દિવસે સવારે કે સાંજે ઉપવાસ કરવો અથવા લોટ વગરનું હળવું ભોજન લેવું. (મગ, દાળ, ખીચડી, પુલાવ વગેરે)

[31] દરરોજ સવારે, બપોરે, સાંજે જમ્યા પછી હૂંફાળા પાણીમાં મીઠું નાખી કોગળા કરવા જોઈએ.

[32] મહાન પુરુષો, સત્પુરુષો, સંતો, મહાત્માઓ તથા મહાન વૈજ્ઞાનિકોનાં જીવનચરિત્રો તથા પ્રેરક પ્રસંગોનું વાંચન કરવું જોઈએ.

[33] દિવસમાં અર્ધો કલાક પોતાની મનગમતી પ્રવૃત્તિ કરવી. અઠવાડિયામાં એક વાર કોઈ પણ સત્કાર્ય કરવું જોઈએ. અથવા સત્કર્મમાં મદદ કે સેવા આપવી જોઈએ.

[34] કોઈ દિવસ કોઈ પણ વ્યક્તિની મજબૂરીનો ફાયદો ન ઉઠાવવો જોઈએ નહિતર આપણે પણ ભગવાન પાસે એવા મજબૂર થઈ ઊભા રહેવું પડે.

[35] કૃતજ્ઞી બનો. કૃતઘ્ની નહિ.

[36] દિવસે સૂવું નહિ. આળસ એ જીવતા મનુષ્યની કબર છે.

[37] વ્યસન તથા રોગોને ઊગતા જ ડામી દેવાં જોઈએ.

સોશિયલ મીડિયામાંથી મળેલ માહિતી…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here