આ દિકરી સાથે જે ઘટના બની અેના માટે આવા હરામિ તત્વને ફાંસીના માંચડે લટકાવી દેવા જોઈએ તમારુ શું કહેવું છે

0
192

જેતપુર તાલુકાના જેતલસર ગામે ક્રૂરતાપૂર્વક હત્યા એક તરફી પ્રેમીએ છરીના ૩૨ ઘા ઝીંકી તરુણીને વેતરી નાખી જેતલસર , તા . જેતપુર તાલુકાના જેતલસર ગામમાં આજે બપોરે એક તરફી પ્રેમમાં ઝનૂની બનેલા ૨૪ વર્ષીય એક શખ્સ ૧૬ વર્ષની તરુણીને છરીના ઉપરાછાપરી આશરે ૩૨ ઘા મારી હત્યા નિપજાવી દેતાં ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી . તરુણીને માતા – પિતા મજૂરી અર્થે બહાર ગયા ત્યારે ઘરે જઈને ખૂની ખેલ ખેલ્યો , બચાવવા જતાં તેના ભાઈને પણ પાંચ ઘા ઝીકી દીધા પોલીસ સૂત્રોએ જણાવ્યું કે જેતલસર ગામે એક તરફી પ્રેમી આરોપી જયેશ ગિરધરભાઈ સરવૈયા નામના શણે સૃષ્ટિ કિશોરભાઈ રૈયાણી નામની તરુણીને વેતરી નાખી હતી . આજે બપોરે તરુણીના પિતા કિશોરભાઈ રવજી ભાઈ રૈયાણી અને માતા શીતલબેન ગામથી દૂર તળમાં આવેલી વાડીએ મજૂરી કરવા માટે ગયો હતા ત્યારે સૃષ્ટિના ઘરની રેકી કરી ભાઈ બહેન એકલા પડતાં ઘરમાં ઘૂસી જઈ તરુણીને ઘરમાંથી બહાર ઢસડીને કાઢી હતી . પ્રથમ તેને ‘ તું મારી સાથે લગ્ન કર તેવી જબરજસ્તી કરી હતી . તરુણીએ વારંવાર ના પાડતા તેને ઢોરમાર માયી હતો છતાં આરોપીનું પેટ ના ભરાતા જાહેરમાં છરી કાઢીને તેના શરીરે અસંખ્ય પા માર્યા હતા ત્યારે તેનો ભાઈ મૃતક તરૂણીની પોતાની બહેનને બચાવવા આડો પડ્યો હતો . આરોપીએ મોઢું જોયા વગર છરીના પાંચ ધા તેને પણ ઝીંકી તેની હત્યાનો પણ પ્રયાસ કર્યો હતો . ઝનૂની બનેલા આરોપીએ આડોશ બચાવવા માટે વચ્ચે પડેલા ૧૪ વર્ષના ભાઈને પણ હુમલાખોરે છરીના ઘા ઝીંકી દીધા હતા .

તરુણીએ તેના પ્રેમનો અસ્વીકાર દેતાં અને અગાઉ પજવણી કરીને પરેશાન કરતા શમ્સ અંગે તેના પિતાને તરુણીના પિતાએ રાવ કરી હોવાનો ખાર રાખીને આજે તેણે ખૂની ખેલ ખેલ્યો હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે ઘા પાડોશ ના લોકો પર પણ હુમલો કરવાની તૈયારી કરી હતી . ત્યારે લોકો એ સમયસૂચકતા વાપરી હર્પને પાડોશીના ઘરમાં છુપાવી દીધો હતો . પાડોશના લોકો એ બૂમાબૂમ કરી મૂકતા જયેશ તરુણીને મોતને ઘાટ ઉતારીને ત્યાંથી નાસી છૂટયો હતો . સૃષ્ટિના પિતા કિશોરભાઈ વાડીએથી ઘરે આવ્યા ત્યારે લોહીમાં લથપથ પુત્રીની લાશ જો ઈને તેમના માથે જાણે આભ ફાટી પડયું હતું . તેમણે જાણ કરી ત્યારે જેતપુર તાલુકા પોલીસે સ્થળ પર જઈને મૃતદેહને પીએમ અર્થે જેતપુરની સિવિલ હોસ્પિટલ બાદ એફએસએલ પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો . નાસી છૂટેલા આરોપીને પકડવા

જે ઘટના ઘટી એવી કોઈની દિકરી સાથે આવી ઘટનાઓ ન બને એ ઉપદેશ થી

પરમકૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ આપે તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ ૐ શાંતિ ૐ શાંતિ ૐ શાંતિ આવા નાલાયક હરામિ તત્વને ફાંસીના માંચડે લટકાવી દેવા જોઈએ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here