અજીબ કિસ્સો: વીજ વાયર તૂટતા બાળકનો જીવ બચાવા ગાયે પ્રાણ આપી દીધા

0
185

જીવ બચાવનાર ગૌમાતાને થાનગઢનો અજબ કિસ્સો વીજ વાયર તૂટતા બાળકનો જીવ બચાવા ગાયે પ્રાણ આપી દીધા જીવતો તાર તૂટે તે પહેલાં બાળકને ગોથું મારી દૂર હડસેલી દીધો | સુરેન્દ્રનગર 1 થાનગઢની જયઅંબે સોસાયટી વિસ્તારમાં મંગળવારે સવારે પસાર થતી હેવી વીજ લાઈનની નીચે બાળક પસાર થઈ રહ્યો હતો . એ દરમિયાન પાછળ આવતી ગાયને જીવતો વીજ વાયર તૂટવાનો અણસાર મળતો હોય તેમ આગળ જઈ રહેલ બાળકને ગો મારીને દૂર હડસેલીને તેનો જીવ બચાવી લીધો હતો . પરંતુ હેવી વીજ લાઈનના જીવતા વાયરે ગાયના પ્રાણ લઈ લીધા છે . આમ , ઘોર કળીયુગમાં ગાયમાતાએ પોતાના પ્રાણની આહુતી આપી બાળકનો જીવ બચાવી લીધો હોવાનો કિસ્સો ઉજાગર થવા પામ્યો છે .

ગાયને બચાવો , ગાય તમને બચાવશે તેવો ઉદ્દગારો લોકડાયરા અને સંતવાણીમાં સાહિત્યકારો અને ભજનીકોના મુખેથી સાંભળવા મળે છે . પરંતુ થાનગઢમાં આ પ્રકારના શબ્દોને સત્ય ચરીતાર્થ ઠેરવતો કિસ્સો જોવા જાણવા મળ્યો છે . થાનગઢની જયઅંબે સોસાયટીમાં મંગળવારે સવારે હેવી વીજ લાઈન પોલનો જીવતો વીજ વાયર તૂટે તે પહેલા એક ગાયે મયુર વિરજીભાઈ ( ઉ.વ.આ .50 ) ને ગોયુ મારી બાળકનો જીવ બચાવી લીધો છે . પરંતુ હેવી લાઈનના જીવતા વીજ વાયરે બાળકનો જીવ બચાવનાર ગાય માતાના પ્રાણ હરી લીધા છે . અનાચક બનેલી આ ઘટનાના પગલે રાહદારીઓ અને રહીશોનું ટોળુ કુતુહલવશ એકઠું થઈ ગયુ હતુ . ઘટના મામલે બાળક મયુરના પિતા વિરજીભાઈએ જણાવ્યુ હતુ કે , ગાયે મારા બાળકને ગોથુ મારીને દૂર હડસેલી દીધોન હોત તો તેનું જીવતા મુખ જોવા ન મળત , ગાયે પોતાનો પ્રાણ આપીને મારા બાળકના પ્રાણ બચાવી લીધા છે . મૃત્યુ પામેલ ગાય માતા ગાભણી હોવાનું ખુલવા પામ્યુ છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here